Professional Documents
Culture Documents
Dukh Nivaran Ni Yukti
Dukh Nivaran Ni Yukti
Dukh Nivaran Ni Yukti
એક વ ૃદ્ધ અને વિદ્વાન સજ્જન છે , બધા એમનો આદર કરે છે . પણ એમના સ્વભાવની વિચિત્રતા એ
છે કે વાતવાતમાં દુઃખી થાય છે . ગમે તેવ ું ભોજન મળે , એ રડતા રહે છે . ખરાબ ભોજન મળે તો
રસોઈયા પર નારાજ થાય છે . સારું ભોજન મળે તો પણ નારાજ થઈ કહે છે કે ગઈકાલે આવું
ભોજન કેમ ન બનાવ્યુ.ં બંને દિવસે દુઃખી રહે છે . પાછલા દિવસોમાં એ કોંગ્રેસ સરકારથી નાખુશ
હતા. જ્યારે ટ્રે ન સામેથી નીકળે તો ગામના બાળકો તાળી પાડીને કહેતા ગાડી આવી, ગાડી આવી
અને તેઓ પગ પછાડીને સરકારને ગાળ આપતા કે જ્યારથી એનુ ં શાસન આવ્યું છે , ત્યારથી
મનમાં હોય છે . જેનુ ં મન પુણ્યની સામગ્રીથી બન્યું હોય છે , એ દરે ક સ્થિતિમાં સુખ જુએ છે , અને જે
મનનુ ં ઉપાદાન પાપ છે , એને દુઃખ જ દે ખાય છે . કીડી ગંદી વસ્ત ુઓમાં પણ સાકર ખોળી લે છે અને
ભડં ૂ ગળી વસ્ત ુઓમાં મળ શોધે છે . બે સજ્જનો જઈ રહ્યા હતા. રસ્તામાં કૂતરાનુ ં શબ સડત ું હત.ું
એકે કહ્યું - હાય હાય, કેટલી દુર્ગંધ છે . બીજાએ કહ્યું - એના સફેદ દાંત કેટલા સુદર
ં છે . આનંદમય
સચ્ચિદાનંદધન પરમાત્માથી અલગ નથી. તેથી દરે ક વસ્ત ુ આનંદમય છે . એમાં ભ્રમથી દુઃખની
કલ્પના થાય છે , જે દૃઢ બનતાં દુઃખગ્રાહી સ્વભાવ બને છે . એને પરમાત્માના ચિંતનથી અનાયાસ
બદલી શકાય છે .
એક ઉચ્ચ કોટિના સંત મહાત્મા હતા. એમના સેંકડો સત્સંગી એમને પોતનુ ં સર્વસ્વ સમર્પિત
કરીને એમના ઉપર જ નિર્ભર રહેતા હતા. મહાત્મા વ ૃદ્ધ થયા એટલે સત્સંગીઓએ વિચાર્યું કે એક
દિવસ એમનુ ં શરીર છૂટી જશે ત્યારે એ દુઃખદ ઘટના આપણે શી રીતે જોઈ શકીશું અને એમના
એમાંના દસ-વીસ ભેગા મળી મારી પાસે આવ્યા અને એકાંતમાં કહ્યું - અમે એમના વિના જીવી
શકીએ એમ નથી, તેથી બધા ભેગા મળી કોઈ નદીમાં ડૂબી મરવા ઈચ્છીએ છીએ. મેં સમજાવ્યું -
એ જીવતા હોય ત્યારે એમ કરવું ઉચિત નથી, કારણ કે તમારી આત્મહત્યાની વાત સાંભળીને
મહાત્માના કોમળ ચિત્ત પર કઠોર આઘાત થશે અને એમનુ ં સ્વાસ્થ્ય બગડે. અત્યારે તો આ સંકલ્પ
ત્યાગવો જ જોઈએ. એમણે મારી વાત માની લીધી. થોડા મહિના પછી મહાત્માનુ ં શરીર છૂટી ગયુ,ં
તો એમના સત્સંગીઓને અકથનીય દુઃખ થયુ.ં કેટલાકે મરવાનો પ્રયત્ન પણ કર્યો પણ પ્રભુકૃપાથી
કોઈનુ ં મ ૃત્યુ થયું નહીં. આ ઘટના પછી વર્ષો વીતી ગયાં. આજે પણ એમના સત્સંગીઓ જીવે છે ,
એમનો વિવાહ અને બાળકો થાય છે . એ બધા હસે છે , ગાય છે , નાચે છે . બધા વ્યવહારો પહેલાંની
જેમ ચાલે છે અને આ ઠીક પણ છે , કારણ કે જીવની પ્રકૃતિ સતત દુઃખી રહેવાની નથી. એ
મારા મનમાં આ વિષે વારં વાર ગંભીર ઊહાપોહ થયો. જ્યારે હૃદયાકાશ દુઃખનાં વાદળોથી
છવાય છે અને પોતાના આત્મસ ૂર્યનો આનંદપ્રકાશ ઢંકાય છે , ત્યારે અજ્ઞાની લોકો માની બેસે છે કે
હવે હંમેશ માટે અંધારું થઈ ગયુ,ં પણ આ સ્વયંપ્રકાશ આત્મદે વનો ક્યારે પણ પ ૂરે પ ૂરો અસ્ત થતો
નથી. જ્યારે આપણે કહીએ છીએ કે હવે સહન નથી થત,ું ત્યારે પણ સહન કરતા જ હોઈએ છીએ.
જ્યારે આપણું જીવન દુઃખોથી ઘેરાઈ જાય, ત્યારે એમ વિચાર કરીએ કે આજથી છ મહિના પછી
આપણા ચિત્તની કેવી સ્થિતિ હશે? શું ત્યારે પણ આવું દુઃખ રહેશે? એ સ્થિતિનુ ં ધ્યાન કરીએ, તો
ઘણું બધું દુઃખ ઓછું થઈ જાય. પંદર-સોળ વર્ષ પહેલાં આ પ્રદે શના એક શેઠ કોઈ છોકરી પર મુગ્ધ
થયા અને કહેતા કે એની સાથે વિવાહ ન થયો તો હુ ં મરી જઈશ કે પાગલ થઈ જઈશ. એ છોકરીએ
તો વિવાહ ન કર્યો, પણ શેઠે પાંચ-સાત વિવાહ કર્યા. તેઓ આજે જીવે છે . એમની આજની મનોદશા
સાથે એ સ્થિતિની ત ુલના કરો. ત્રણ-ચાર વર્ષ પહેલાં હુ ં મા આનંદમયીના કાશીમાં આવેલા
આશ્રમમાં કોટિસાવિત્રીયજ્ઞ પ્રસંગે ગયો હતો. એક દિવસ પ ૂર્વપરિચિત પંડિતજીના ઘેર ગયો, ત્યારે
તેઓ બહાર ગયા હતા. ઘરમાં એકલાં માતાજી હતાં, એમણે મને ઓળખ્યો. સાત-આઠ વર્ષ પછી
મળવાનુ ં થયું હત.ું વચ્ચે એમના એક યુવાન પુત્રનુ ં મ ૃત્યુ થયું હતુ.ં મને જોતાં જ એ રડવા લાગ્યા.
થોડીવાર પછી એમને બીજા પુત્રના વિવાહની વાત યાદ આવતાં એનુ ં વર્ણન કરતાં હસવા લાગ્યાં.
પછી પુત્રીના થનાર વિવાહની યાદ આવતાં, ચહેરા પર ચિંતાની રે ખાઓ દે ખાવા લાગી. પછી મ ૃત
પુત્રની યાદ આવતાં રડવા લાગ્યાં. કલાક દરમ્યાન ચાર-પાંચવાર રડ્યાં અને હસ્યાં. આજે
મનુષ્યના મનની આવી દશા છે . એમાં કોઈ સંગતિ, ક્રમ કે વિચારની ગંભીરતા નથી. છીછરા
પાણીમાં છબછબિયાં કરતો રહે છે . સુખ કે દુઃખ નથી. જાણે અનુભ ૂતિની ગંભીરતા નષ્ટ થઈ ગઈ છે .
પોતાનુ ં દુઃખ પોતાના જ પ્રયત્નથી મટશે, બીજો એ મટાડી શકે નહીં, કારણ કે દુઃખ શરીરની અંદર
હોય છે , બહાર નહીં, જ્યાં ફક્ત વિચારનુ ં રસાયણ જ અસર કરી શકે છે .
દુઃખનાં ત્રણ સ્તર હોય છે - દુઃખનુ ં નિમિત્ત, દુઃખાકાર વ ૃત્તિ અને દુઃખનુ ં અભિમાન. સંસારના પામર
અને વિષયી પુરુષો પ ૂરી શક્તિ લગાવીને દુઃખના નિમિત્તને દૂ ર કરવા મથે છે . પણ બધાં નિમિત્તો
દૂ ર થાય એ શક્ય નથી. ઠંડી-ગરમી, રોગ-મ ૃત્ય, દરિદ્રતા, અપમાન સદા રહેતાં આવ્યાં છે અને
રહેશે. એમને મિટાવીને સુખી થવાની આશા યથાર્થથી દૂ ર સ્વપ્નમાત્ર છે , જે પેઢી દર પેઢી કદાપિ
પ ૂરી થઈ નથી, થશે પણ નહીં. બીજો વિકલ્પ દુઃખાકાર વ ૃત્તિઓને રોકવાનો છે , જે જૂઠા નિમિત્તો
પાછળ દોડનારા લોકો માટે સાધ્ય નથી. એ તો ફક્ત નિવ ૃત્તિ પરાયણ, વિરક્ત પુરુષો માટે જ સંભવ
ત્રીજી વાત ગમે તે પરિસ્થિતિમાં હુ ં દુઃખી છું, એવું અભિમાન ન કરવું એ છે , જે પ્રત્યેક વિચારશીલ
મનુષ્ય માટે સુગમ અને વ્યાવહારિક છે . દુઃખની સ્વીકૃતિ એને સત્તા આપે છે . સાહસપ ૂર્વક દુઃખનો
છાયા પણ સ્પર્શી શકતી નથી. સત્સંગ અને વિચારથી આત્માના શુદ્ધ સ્વરૂપનુ ં જ્ઞાન જ દુઃખની
મારી પાસે એક બાળક આવે છે . એ ધનવાન, સ્વસ્થ, વિદ્વાન કે બુદ્ધિમાન નથી. ફક્ત થોડાં વર્ષો
સુધી એણે સત્સંગ કર્યો છે અને પ્રામાણિકતાથી શુદ્ધ વિચારો ધારણ કરવાનો પ્રયત્ન કર્યો છે . થોડા
મહિના પહેલાં એણે ભગવાન સમક્ષ, દૃઢતાથી સોગંદપ ૂર્વક પ્રતિજ્ઞા કરી કે ગમે તેવી પરિસ્થિતિમાં
હુ ં દુઃખી નહીં થાઉં. પાછલા થોડા મહિનાઓમાં અનેકવાર એની સામે દુઃખની નિમિત્તો આવ્યાં અને
મનમાં દુઃખાકાર વ ૃત્તિનો સ્પર્શ થવા માંડ્યો, પણ એણે તરત કહ્યું ના ના, મેં કદાપિ દુઃખી ન થવાની
પ્રતિજ્ઞા લીધી છે . અત્યારે તો એનાં દુઃખોનો ભાર ઉતરી ગયો લાગે છે . આગળનુ ં ભવિષ્ય એની દૃઢ
નિષ્ઠા અને ઇશ્વરે ચ્છા પર નિર્ભર છે . કહેવાનો અભિપ્રાય એ છે કે સામાન્ય માણસે પણ દુઃખ સામે
હાર ન માની લેવી જોઈએ. પ ૂરા સાહસથી ઈશ્વર પર ભરોસો રાખી, સિંહની જેમ દુઃખના માથા પર
પગ મ ૂકી, ગર્જન કરતાં, લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ. ભગવદ્ સંત અને તત્ત્વજ્ઞાની