Professional Documents
Culture Documents
વાંસ - વિકિપીડિયા
વાંસ - વિકિપીડિયા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પી
(unranked): એકદળી
(unranked): કોમ્મેલિનિડ્સ
Order: પોએલ્સ
Family: પોએસી
Subfamily: બામ્બુસોઈડી
Supertribe: બામ્બુસોડે
Tribe: બામ્બુસી
કું થ ડુમ્રોટ
Diversity
વિશે ષ પરીચય
વાંસ એક સપુષ્પક, આવૃતબીજી, એક બીજપત્રી
પોએસી કુળની વનસ્પતિ છે. વાંસના પરિવારના અન્ય
મહત્વપૂર્ણ સદસ્ય કડબ, ઘઉં, મકાઈ, જુ વાર અને જવ
છે. વાંસ પૃથ્વી પર સૌથી ઝડપથી વિકાસ પામતો કાષ્ઠીય
છોડ છે. વાંસની કેટલીક પ્રજાતિઓ એક દિન (૨૪
કલાક)માં ૧૨૧ સેંટીમીટર (૪૭.૬ ઇંચ) સુધી વધી જાય
છે. થોડા સમય માટેજ પરંતુ ક્યારેક ક્યારેક તો આ
વનસ્પતિની વધવાની ગતિ ૧ મીટર (૩૯ મીટર) પ્રતિ
કલાક સુધી પહોંચી જાય છે. વાંસનું થડ, લાંબુ,
પર્વસન્ધિયુક્ત, સામાન્ય રીતે ખોખલું (પોલું) તથા
શાખાન્વિત હોય છે. થડમાં રહેલી નીચલી ગાંઠોંમાંથી
અપસ્થાનિક મૂળ નિકળે છે. થડ પર સ્પષ્ટ પર્વ તથા
પર્વસન્ધિઓ રહેલી હોય છે. પર્વસન્ધિઓ ઠોસ તથા
ખોખલી હોય છે. આ પ્રકારના થડને સન્ધિ-સ્તમ્ભ
કહેવામાં આવે છે. વાંસનાં મૂળ અસ્થાનિક તથા રેષાદાર
હોય છે. તેનાં પર્ણો સરળ હોય છે, જેનો શીર્ષ ભાગ
ભાલાના ફણાની સમાન અણીયાળો હોય છે. પાંદડાંઓ
વૃન્ત યુક્ત હોય છે તથા તેમાં સામાનાન્તર વિન્યાસ હોય
છે. વાંસનો છોડ પોતાના જીવનકાળમાં માત્ર એકજ વાર
ફલ ધારણ કરે છે. ફૂલ સફેદ રંગનાં આવે છે. પશ્ચિમી
એશિયા તથા દક્ષિણ-પશ્ચિમી એશિયાના વિસ્તારોમાં
વાંસ એક મહત્વપૂર્ણ વનસ્પતિ ગણાય છે. વાંસનું
આર્થિક તેમજ સાંસ્કૃતિક મહત્વ રહેલું છે. વાંસમાંથી ઘર
તો બનાવવામાં આવેજ છે, આ ઉપરાંત તે ભોજન માટેનો
પણ સ્રોત છે. ૧૦૦ (સો) ગ્રામ વાંસના બીજમાં ૬૦.૩૬
ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને ૨૬૫.૬ કિલો કેલરી ઊર્જા રહેલી
હોય છે. આટલી અધિક માત્રામાં કાર્બોહાઇડ્રેટ અને
આટલી અધિક ઊર્જા ધરાવતો કોઈ પણ પદાર્થ
સ્વાસ્થ્યવર્ધક અવશ્ય હશે.[૧] ૭૦થી અધિક વંશ
ધરાવતા વાંસની ૧૦૦૦ (એક હજાર) કરતાં પણ વધુ
પ્રજાતિઓ છે.
થડ
વાંસ નો સૌથી ઉપયોગી ભાગ થડ છે. ઉષ્ણ કટિબંધમાં
વાંસ મોટા મોટા સમુહોમાં જોવા મળે છે. વાંસ ના થડ થી
નવી નવી શાખાઓ નિરંતર બહાર તરફ નીકળી આના
ઘેરાવને વધારે છે, પરંતુ સમશીતોષ્ણ અને શીતકટિબંધમાં
આ સમૂહ અપેક્ષાકૃત નાનો હોય છે તથા થડની લંબાઈ
જ વધે છે. થડ ની લંબાઈ 30 થી ૧૫૦ ફુટ સુધી અને
પહોળાઈ ૧/૪ ઇંચ થી લઈ એક ફુટ જેટલી હોય છે.
થડમાં પર્વ (internode), પર્વસંધિ (ગાંઠ) (node) થી
જોડાયેલો હોય છે. કોઈ કોઈ જાતમાં પૂરા થડ ઠોસ રહે
છે. નીચે ના બે તૃતિયાંશ ભાગમાં કોઈ ડાળી નથી હોતી.
નવી શાખાઓ ઊપર પાંદડાની સંરચના જોઈને જ
વિભિન્ન વાંસ ની ઓળખ થાય છે. પહલા ત્રણ માસમાં
શાખાઓ સરાસરી ત્રણ ઇંચ પ્રતિ દિન વધે છે, ત્યાર બાદ
આમાં નીચે થી ઊપર તરફ લગભગ ૧૦ થી ૫૦ ઇંચ
સુધી થડ બને છે.
વાં સ ના ફૂ લ અને ફળ
વાંસ નું જીવન ૧ થી ૫૦ વર્ષ સુધી હોય છે, જ્યાં સુધી કે
ફૂલ નથી ખિલતા. ફૂલ બહુ જ નાના, રંગહીન, ડંઠલ
વગરના , નાના નાના ગુચ્છામાં ઊગે છે. સૌથી પહલાં
એક ફૂલમાં ત્રણ ચાર, નાના, સૂકા તુષ (glume) જોવા
મળે છે. આ બાદ હોડીના આકાર ના અંતપુષ્પકવચ
(palea) હોય છે. તેમાં છ પુંકેસર (stamens) હોય
છે. અંડાશય (ovary) ના ઊપરી ભાગ પર બહુ નાના
નાના વાળ હોય છે. આમાં એક જ દાણો બને છે.
સાધારણત: વાંસ ત્યારે ફૂલે છે જ્યારે દુકાળને કારણે
ખેતી મરી જાય છે અને દુર્ભિક્ષ પડે છે. શુષ્ક અને ગરમ
હવા ને કારણે પાંદડા ને સ્થાને કળીઓ ખીલે છે. ફૂલ
ખિલતા પાંદડા ખરી પડે છે. ઘણાં વાંસ એક વર્ષમાં ફળે
છે. આવા અમુક વાંસ નીલગિરિ ની પહાડીઓ પર મળે
છે. ભારતમાં અધિકાંશ વાંસ સામુહિક તથા સામયિક રૂપે
ખીલે છે. ત્યાર બાદ જ વાંસ નું જીવન સમાપ્ત થઈ જાય
છે. સુકાયેલા થડ પડી રાસ્તા બંધ કરી દે છે. આગલા
વર્ષની વર્ષા પછી બીમાંથી નવી કલમો ફૂટે છે અને જંગલ
ફરી લીલું થઈ જાય છે. જો ફૂલ ખીલવાનો સમય જ્ઞાત
હોય, તો કાપી કરી ખિલવું રોકી શકાય છે. પ્રત્યેક વાંસમાં
૪ થી ૨૦ સેર સુધી જવ કે ચોખા સમાન ફળ લાગે છે.
જ્યારે પણ એ ફળે છે, ચોખાની અપેક્ષા સસ્તા વેંચાય
છે. ૧૮૧૨ ઈ. ના ઓરિસ્સા દુકાળમાં આ ગરીબ જનતા
નો આહાર તથા જીવન રક્ષક રહે છે.
વાં સની ખે તી
વાંસ બીજમાંથી ધીરે ધીરે ઉગવા લાગે છે. માટીમાં
આવવાના પ્રથમ સપ્તાહમાં જ બીજ ઉગવાની પ્રક્રિયાનો
આરંભ થઇ જાય છે. કેટલીક વાંસની પ્રજાતિઓમાં છોડ
પર બે નાના નાના અંકુર નિકળતા હોય છે. આ અંકુર
ફુટવાના ૧૦ થી ૧૨ વર્ષ બાદ કામ લાયક વાંસ તૈયાર
થતા હોય છે. ભારતમાં દાબ કલમ પદ્ધતિ દ્વારા વાંસની
ઉપજ કરવામાં આવે છે. આ વનસ્પતિના થડનો નિચલો
ભાગ, ત્રણ ઇંચ લંબાઈ ધરાવતો, પર્વસંધિ (node)
કરતાં થોડે નીચેથી કાપીને, વરસાદની શરૂઆત થયા બાદ
લગાવી દેવામાં આવે છે. જો તેમાં પ્રકાંડનો પણ અંશ
હોય તો તે અતિ ઉત્તમ છે. તેના નિચલા ભાગમાંથી નવાં
નવાં મૂળ નિકળતાં હોય છે.
વં શલોચન
વિશેષત: બૈંબ્યૂસા અરન્ડિનેસીના પર્વ (ગાંઠ વચ્ચે નો
ભાગ) માં થી મળી આવતી, આ પથરીલી વસ્તુ સફેદ
અથવા હલકા ભૂરા રંગની હોય છે. અરબી ભાષામાં તેને
તબાશીર કહે છે. યૂનાની ભાષાના ગ્રંથોમાં તેનો ઉલ્લેખ
થયેલો જોવા મળે છે. ભારતવાસીઓ પ્રાચીન કાળથી
દવા તરીકે વંશલોચનનો ઉપયોગ કરતા આવ્યા છે.
આયુર્વેદ મત પ્રમાણે તે ઠં ડું તથા બળવર્ધક હોય છે.
વાયુદોષ તથા હૃદય અને ફેફસાંની વિવિધ પ્રકારની
બિમારીઓમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. તાવની
બિમારીમાં વંશલોચન લેવાથી તરસ પર નિયંત્રણ કરી
શકાય છે. વાંસની નવી ફુટેલી શાખાઓનો રસ એકત્રિત
થઇને વંશલોચન બનતું હોય છે અને તે તૈયાર થાય ત્યારે
તેમાંથી સુગંધ નિકળે છે.
બાહ્ય કડીઓ
વાંસ ઘણી જ કામની વસ્તુ છે. (http://hindi.indi
awaterportal.org/node/20102) સંગ્રહિત
(https://web.archive.org/web/20100724
220916/http://hindi.indiawaterportal.or
g/node/20102) ૨૦૧૦-૦૭-૨૪ ના રોજ વેબેક
મશિન (હિંદી ભાષામાં)
વાંસના ફૂલ, કે જે જીવનમાં કેવળ એકજ વાર ખીલે
છે. (http://www.udanti.com/2010/09/blo
g-post_2507.html) (હિંદી ભાષામાં)
"https://gu.wikipedia.org/w/index.php?
title=વાંસ&oldid=836860" થી મેળવેલ