Professional Documents
Culture Documents
Translation of School Edu. in 2030
Translation of School Edu. in 2030
આ લેખ આજથી ૧૦ વર્ષ પછી ભારતમાં શાળાકીય શિક્ષણ કેવું હશે તેની ચર્ચા કરે છે . એવું લાગે છે કે
કેટલીક વર્તમાન અયોગ્ય અને બિનઅસરકારક પધ્ધતિઓ અને માળખા ૨૦૩૦માં પણ પ્રવર્તતા હશે.
૨૦૪૦માં તે સાવ નીકળી જશે. શિક્ષણમાં બદલાવ ધીમી ગતિએ આવતો હોય છે.
હજારો વર્ષોથી શિક્ષણનો મુખ્ય હેતુ સારાં માનવનું સર્જન કરવાનો અને સારા નાગરિક બનાવવાનો રહ્યો છે
જે નહીં બદલાય.
હા. આવતા ૧૦ વર્ષ સુધી ઘણી શાળાઓ અસ્તિત્વમાં રહેશે. અને ૨૦૪૦માં અદૃશ્ય થશે. ભારતની મોટા
ભાગની પ્રવર્તમાન શાળાઓમાં ધોરણસ્થાપન અને ગોખણપટ્ટી જેમાં બધા જ વિદ્યાર્થીઓ એક જ વસ્તુ એક
જ સરખા સમય માટે એક જ સરખી રીતે શીખે છે તે વ્યવસ્થાપનની રીતે સગવડતાભર્યું છે. પણ આમ
શાળાની જગ્યાએ અધ્યયન કેન્દ્રો આવશે. તે એવી સંસ્થાઓ હશે જે ખરા અર્થમાં વૈશ્વિક સ્તરનું શિક્ષણ આપતા
હશે. વિદ્યાર્થીઓને જેમાં રસ હોય તેનો અભ્યાસ કરવાનું પસંદ કરી શકશે. અધ્યયનના આ કેન્દ્રો ખૂબ જ
એસએસસી બોર્ડ, સીબીએસઈ કે આઈસીએસઈ જેવા બોર્ડની પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિ હશે કે કે મ ?
હા. નવી શિક્ષણ પ્રણાલીમાં અત્યારની જેમ જ યાદશક્તિ આધારિત પરીક્ષા હશે. પણ તેમાં વૈકલ્પિક પરીક્ષા
પણ હશે જે કૌશલ્ય અને સિદ્ધિઓને ઉજાગર કરશે જે ભવિષ્યમાં વધારે ઉચિત રહેશે.
તે પણ હશે જ. તે ખૂબ જ હોશિયારીપૂર્વકનો વ્યવસાય છે. ગ્રાહકોને જે જોઈતું હોય છે તે જ તેઓ આપે છે.
જેમ જરૂરિયાતો બદલાય તેમ તેઓ સૌથી પહેલાં આ બદલાવને પ્રતિસાદ આપે છે.
પાઠ્યપુસ્તકોનું શું?
તે શાળાના જ પાઠ્યપુસ્તકો હશે જે પ્રિન્ટ તથા ડિજિટલ બંને રીતે મળશે. ૨૦૪૦માં તે નહીં જોવા મળે .
શિક્ષકોનું શું?
શિક્ષકો હંમેશા રહેશે. હકીકતમાં તેઓનું મહત્વ વધી જશે પરંતુ જો તેઓ ખરેખર સારા હોય તો. સારા
શિક્ષકોને સારા ડૉક્ટર કે એંજિનિયર જેટલો પગાર મળશે. મધ્યમ કક્ષાના શિક્ષકોને કામ શોધવા મહેનત
કરવી પડશે.
નાના બાળકો માટેની શાળાનું મહત્વ વધશે. માતપિતાએ તેમના બાળકોને શિક્ષણ અપાવવામાં ઘણું વધારે
એકરૂપ થવું પડશે. પણ આ ક્ષેત્રમાં ૨૦૩૦ સુધીમાં ઓછો બદલાવ આવવાની શક્યતા છે.
કેટલીક શાળાઓ અલગ હશે. વિદ્યાર્થીઓનું ઉમર પ્રમાણે જૂથ નહીં હોય. અધ્યયન માટેની અલાયદી
જગ્યાઓ હશે, અત્યારની જેમ વર્ગખંડો નહીં હોય. વાર્ષિક પરીક્ષા અને ટેસ્ટની જગ્યાએ ટેક્નોલૉજી દ્વારા થતાં
સતત અને સપૂર્ણ મૂલ્યાંકન આવશે. પ્રોજેકટ આધારિત અભ્યાસ કેન્દ્રમાં રહેશે. વિદ્યાર્થીઓને શું શીખવું એ
બાબતે વિકલ્પો હશે. તેઓ પોતાના રસ અને આવડત પ્રમાણે પસંદ કરી શકશે, બહારના અભ્યાસક્રમના
આધારે નહીં.
સખેદ કેટલીક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ એમ જ રહેશે પરંતુ તે પણ ૨૦૪૦ સુધીમાં કાં તો બદલાઈ
તકનીકનું શું?
અન્ય વ્યવસાયમાં બને છે તેમજ શિક્ષણમાં પણ તકનીક બદલાશે. હાલમાં શિક્ષકો દ્વારા થતાં ઘણા કાર્યો કૃત્રિમ
બુદ્ધિ (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ) દ્વારા કરવામાં આવશે જેથી શિક્ષકો વધારે જટિલ (ગહન) વિચાર, સમજ
દરેક બાળકને સારું શિક્ષણ નીચા દરે મળી રહેશે. નિશુલ્ક શિક્ષણના માધ્યમો જેવાં કે ખાન એકેડેમી વધશે.
હા, પૈસાથી હજુ વધારે સારું શિક્ષણ મેળવી શકાશે પરંતુ તેની વચ્ચે સાવ ઓછો તફાવત હશે. ૨૦૩૦
સુધીમાં શિક્ષણમાં પ્રવર્તતી અસામાનતા દૂર થવાની શરૂઆત થશે જે ૨૦૪૦ સુધીમાં સંપૂર્ણ દૂર થશે.