Professional Documents
Culture Documents
श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય - પુરૂષોત્તમયોગ
श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય - પુરૂષોત્તમયોગ
com
ॐ श्रीपरमात्मने नमः
'''अथ पञ्चदशोऽध्यायः '''
श्रीभगवानुवाच
શ્રી ભગવાન બોલ્યા; જેના મૂળ ઉર્ધ્વ છે (સંસાર વૃક્ષના મૂળ એવા પ્રભુ શ્રી વિષ્ણુ સર્વેથી ઉપર અને સર્વેશક્તિમાન છે તે)
અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે (બ્ર્હ્માજી ગૌલોકની નીચે તરફ બ્રહ્મલોકમાં છે, તે સર્વે સંસારની મુખ્ય શાખા
છે) એવા અવિનાશી સંસાર વૃક્ષ, જેના પત્તા વેદો છે, તેને જે પુરૂષ મૂળ થી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને
જાણવા વાળો છે.
આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી, વિષય ભોગ રૂપી કુંપણો વાળી, દેવ મનુષ્ય તથા તીર્યક રૂપી
શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહં અને વાસના રૂપી જડો પણ બધે વ્યાપ્ત
છે.
न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूल-
मसङ्गशस्त्रेण दृढे न छित्त्वा ॥१५- ३॥
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 1/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com
આ સંસારનું સ્વરૂપ જેવુ જોવામાં સાંભળવામાં આવે છે તેવુ તત્વજ્ઞાન થયા પછી નથી જણાતુ કારણ કે તેની શરૂઆત
કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની કોઈ માહીતી નથી. વાસ્તવમાં તે શણ ભંગૂર અને નાશવંત છે, એટલે
વાસના, મમતા અને અહં જેવા દ્રઢ મૂળો વાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે.
તે પશ્ચાત પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસાર રૂપી ચક્રમાં પાછુ આવતુ
નથી તે આદિ પુરૂષ નારાયણ ની શરણ માં છું તેમ નિશ્વય કરી પરમેશ્વરનું ધ્યાન કરવું જોઈએ.
निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुः खसंज्ञै-
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१५- ५॥
જેના માન અને મોહ નષ્ટ થઈ ગયા છે, જેની આસક્તિનો દોષ હણાઈ ગયો છે, જેને આધ્યાત્મની નિત્ય સ્થિતિ છે અને
જેના મનની કામનાઓ નષ્ટ થઈ ગઈ છે, તે સુખ દુઃખના દ્વંદ્વ માંથી મુક્ત, સાચા જ્ઞાનની પ્રાપ્તી થવાથી અવિનાશી પરમ
પદની પ્રાપ્તિ કરે છે.
પ્રકાશના પરમ ધામને, જેને સૂર્ય ચંદ્ર કે અગ્નિ નથી પ્રકાશિત કરી શક્તા, ત્યાં પહોંચવાથી મનુષ્યને પરમ પદની પ્રાપ્તિ થાય
છે.
આ દે હમાંનો જીવાત્મા મારો જ સનાતન અંશ છે, અને તે જ આ પ્રકૃ તિમાં મન અને પાંચેય ઈન્દ્રીયોને આસક્ત કરે છે.
પવન જેમ સુગંધને તેના સ્થાનેથી ગ્રહણ કરે છે તેમ દે હનો સ્વામી આત્મા પણ જે શરીરનો ત્યાગ કરે તેની આ બધી મન
અને ઈન્દ્રીય વાસનાઓ તથા ઈચ્છાઓને ગ્રહણ કરે છે.
આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ ત્વચા રસ તથા ઘ્રાણ અને મન ના સહારે વિષયોનું સેવન કરે છે.
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 2/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com
શરીર છોડીને જતા, શરીરમાં રહેતા કે વિષયોનું સેવન કરતા, આ ત્રણ ગુણોથી યુક્ત થયેલાને અજ્ઞાની જાણતા નથી તે
તત્વને ફક્ત વિવેકશીલ તથા જ્ઞાનીજ જ્ઞાનના નેત્રોથી જોઈ શકે છે.
અનેક પ્રયત્નો પશ્ચાત યોગીઓ પોતાનામાં સ્થિત આ પરમ તત્વને જાણી શકે છે પણ જેમનું અંતઃકરણ શુધ્ધ નથી તેવા
અજ્ઞાનીઓ તો યત્નો કરવા છતાં તેને નથી જાણી શક્તા
સૂર્યનું તેજ જે આખા જગતને પ્રકાશિત કરે છે, તથા ચંદ્રમાં નું તથા અગ્નિનું તેજ છે તેને તું મારૂં જ તેજ જાણ
પૃથ્વીમાં પ્રવેશી હું જ સર્વ ભૂતોને ધારણ કરૂં છું તથા અમૃતમય ચંદ્રમાં થઈ બધી વનસ્પતિઓને પુષ્ટ કરું છું .
મનુષ્યના શરીરમાં રહેલો પ્રાણ અને અપાનના સંયોજન સ્વરૂપ વૈશ્વાનર અગ્નિ થઈને ચારેય પ્રકારના અન્નને પચાવું છું .
બધા પ્રાણીઓના હ્રદયમાં બિરાજીત અંતર્યામી હું જ છું અને મારાથીજ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે, વેદો વડે
જાણવા લાયક હું જ છું અને વેદાંતનો કર્તા પણ હું જ છું .
આ સંસારમાં અવિનાશી અને નાશવંત એમ બે પ્રકારના પુરૂષો છે, બધા પ્રાણીઓમાં શરીર નાશવંત અને આત્મા
અવિનાશી છે.
ઉત્તમ પુરૂષ એ જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધાનું ધારણ પોષણ કરે છે, તેને અવિનાશી પરમેશ્વર કે પરમાત્મા
કહેવાય છે
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१५- १८॥
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 3/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com
હું નાશવંત જીવથી તો અલગ જ છું અને અવિનાશી જીવાત્માઓમાં ઉત્તમ છું એટલે વેદોમાં ય પુરૂષોત્તમ નામે પ્રસિધ્ધ
છું .
હે ભારત! આમ જે મને તત્વ રૂપ પુરૂષોત્તમ જાણે છે તે ફક્ત મારા, વાસુદેવ પરમેશ્વરના જ ભજન કરે છે
હે નિષ્પાપ અર્જુન, આ પ્રકારે અત્યંત ગોપનીય શાસ્ત્ર મારાથી તને કહેવાયું છે, તેને જાણી મનુષ્ય જ્ઞાનવાન અને કૃ તાર્થ
થાય છે.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृ ष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५
॥
મિત્રો, મેં મારી સમજ પ્રમાણે અને ઉપલબ્ધ સ્ત્રોત્રોમાંથી આ શ્રીમદ ભાગવતગીતાના પંદરમાં અધ્યાયનો સાર અત્રે લખ્યો
છે, આશા છે આપ સર્વેને એ ઉપયોગી નીવડશે.
Rajesh Reply ↓
February 23, 2010 at 11:28 PM
ધન્યવાદ ભાઈશ્રી, હુ નાનો હતો અથવા અસમજણો હતો ત્યા સુધી ૪૦ વરસ સુધી મને ગીતા નો’તી સમજાતી
પણ જ્યારથી બાઈબલ વાંચી છે, ત્યારેથી મને ગીતા પણ સમજાવા લાગી છે પણ વાત જાણે એમ છે કે
વિષ્ણુને કોઈએ જોયા હોય એવા કોઈ ત્યારના જીવીત માણસોનુ લખાણ યાદ નથી આવતુ, મહર્ષિ વ્યાસજીએ મહાભારત લખ્યુ ને
લખનાર ગણેશ્જી, શુ તમને સાચુ લાગે છે, આપણને આત્મા કોણ આપે છે વિષ્ણુ કે પરમાત્મા? કેમ કે પરમાત્મા ની ઓળખ તો ગીતા
માહાત્મ્યના પાઠમાં જ કરેલ છે કે લક્ષ્મીને પરમાત્માની ઓળખ કરાવવા માટે જ વિષ્ળુએ ગીતાની ઉત્પત્તી કરી હતી જે ગોરખ્પુર
પ્રેસની હિંદી રુપાંતર રૂ.૧૨/- માં ખરીદેલ વાચેલી અને પરમાત્મા તો નિરાકાર, અદશ્ય, અસ્પર્શી, અસુગંધી, અભીંજનીય,
અસળગાનીય, અવર્ણનીય અને અકથનીય છે તો વિષ્ણુ કોણ છે? હા પુરૂષોત્તમપુરૂષના જે લક્ષણો કહ્યા છે એ આજ સુધી એક જ
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 4/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com
મનુષ્યમાં મને દેખાય છે અને એ પ્રભુ યીશુ જ છે અને બીજા નંબરે સંત જ્ઞાનેસ્વર મહારાજ ત્રીજા નમ્બરે સાંઈ બાબા અને પછી કોઈ
જ નથી, અગર આ ત્રણ મહાપુરુષોના ચરીત્ર વાંચો તો વિષ્ણુ પણ એમની સામે ફીકા પડી જાય એટલા નિર્દોષ હતા આ ત્રણે
મહાપુરુષો અને એ ત્રણે મા અતિ પરમપુરૂષ તો પ્રભુ યીશુ જ છે જે આખા જગત પર આજે રાજ કરે છે. કેમ ખરુ કે ખોટું?
pragnaju Reply ↓
September 13, 2008 at 12:59 AM
૯/૧૧ ની દુ;ખદ યાદમા અહીં પણ કેટલીક જગ્યાએ ૧૫મા અધ્યાયનૂં પઠન થાય છે
sohil Reply ↓
September 11, 2008 at 11:50 AM
during my school days i had taken part in “gita pathan” competition.i got first prize.15
16 adhyay.”maiya veshya manoye mam nitya ukta upasate”
chetu Reply ↓
September 10, 2008 at 5:20 PM
ખુબ સરસ ..
Post navigation
← સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી અધ્યારૂ નું જગત – ત્રીસ હજાર ક્લિક્સ →
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 5/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com
નવી કૃ તિઓ…
› ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ – જિજ્ઞેશ અધ્યારૂ
› જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી
› ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ (ભાગ ૨) – અમી દોશી
› ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ – અમી દોશી
› પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્ક થી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ
› સૌરભ શાહના ‘મહારાજ’ પુસ્તકનો પરિચય – રિપલ પરીખ
› સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી વૃષાલીની ગાથા : પ્રવેશ
› દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – પુસ્તક પરિચય
› બીજાનાં સુખમાં આપણું સુખ.. – પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ
› ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ
› અમારું રક્તરંજિત વતન – રાહુ લ પંડિતા; પરિચય – રિપલકુ માર પરીખ
› કંકુ છાંટીને લખજો કંકોત્રી.. – કમલેશ જોષી
› ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬
› સ્ટીવ જોબ્સની અજાણી વાતો.. – ડૉ. જનક શાહ
› શિયાળાની વહેલી સવારે ચાલવું… – નટવર પંડયા
સ્ક્રિ
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 6/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com
સબસ્ક્રિપ્શન
Subscribe
Categories
Select Category
અક્ષરનાદમા શોધો
Search
Site Map
2007: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2008: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2009: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2010: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2011: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2012: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2013: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2014: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2015: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2016: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2017: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2018: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2019: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2020: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2021: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 7/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com
2022: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2023: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
વૈવિધ્ય
› સંપાદક પરિચય
› વાચકોને આમંત્રણ
› આપણા સામયિકો
› ગુજરાતી ટાઈપપેડ
› અક્ષરનાદ વિશે
› સહાયતા
› કોપીરાઈટ
ધ્યાનમાં રાખશો..
© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.
આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય
લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...
અમારા વિશે..
હું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું . વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્ર ક્ચર વિભાગમાં
મેનેજર છું . અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...
Back to top
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 8/8