Professional Documents
Culture Documents
Dr. Gayatri Rameshbhai Patel Assistant Professor, Shrirang Shikshan Mahavidyalay, Bilimora
Dr. Gayatri Rameshbhai Patel Assistant Professor, Shrirang Shikshan Mahavidyalay, Bilimora
Dr. Gayatri Rameshbhai Patel Assistant Professor, Shrirang Shikshan Mahavidyalay, Bilimora
• જગત એટલે બધા દ્ રશ્ય પદાર્થોનો સમુદાય. ઈન્દ્ રિયો વડે જેનો
અનુભવ થાય છે એ વિવિધતાવાળું, સ્થળ-કાળ અને કાર્ય-
કારણના નિયમની મર્યાદાવાળું જગત અપૂર્ણ છે, અને તેના જે
અનુભવો થાય છે તેની વચ્ચે પરસ્પર વિરોધ અને વિસંવાદ દે ખાઈ
છે. સ્થળ- કાળની મર્યાદાવાળું આ પાર્થિવ જગત અપૂર્ણ અને
આભાસરુપ છે. પાર્થિવ જગતની વસ્તુઓ સદાકાળ ટકતી નથી,
તે પ્રતિક્ષણ નાશ પામે છે. અને આ અર્થમાં જગત અસત છે.
સૃષ્ટિ અસત્ય તથા કાલ્પનિક છે .
જેના રૂપરંગાદિ ક્ષણે ક્ષણ બદલાય છે એવા ગુણસમુદાયને આપણે
જગત કહીએ છીએ અને નહિ કે તેના અધિષ્ઠાનરૂપ બ્રહ્મને;
કારણકે રૂપગુણાદિ આપણી ઈન્દ્ રિયો વડે જાણી શકાય છે,
જ્યારે અધિષ્ઠાનરૂપ ઈન્દ્ રિયોને અગોચર છે. માટે બ્રહ્મ એ જ
સત્ય છે અને જગત મિથ્યા છે.
જગત ઉત્પત્તિ અને વિનાશશીલ, વ્યભિચારી, પરિવર્તનશીલ અને
ક્ષણભંગુર હોવાથી મિથ્યા છે. બ્રહ્મ સત્ય, એક અને અદ્ વિતીય
છે. જગત બ્રહ્મથી જુદું હોવાથી સત્ય નથી.
માયા સત તથા અસતથી વિલક્ષણ અને તેથી અનિવર્ચનીય છે.